નમસ્કાર ,
ભારતીય ઈતિહાસ એવા ઉદાહરણોથી ભરેલો છે કે માનવીય સબંધો તો ઠીક પરંતુ માણસનો પ્રાણી સાથેનો સબંધ જોઈ કોઈની પણ આંખ પહોળી થઈ જાય , આપણે મહારાણા ને ચેતક તથા માત્રાવાળા અને સિંહ ની મૈત્રીની વાતથી તો વાકેફ જ છીએ પણ આજે ઇતિહાસના એ વીર અને તીવ્ર બુધ્ધિશાળી ઘોડાની વાત કરવી છે જેણે એના માલિકના મોતનો બદલો લીધો હતો , હા વાત છે શુભ્રક નામના આ ઘોડાની ....
દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશના પ્રથમ શાસક કુતુબુદ્દીન એબકનું દોડતા ઘોડા પરથી પડી જવાને કારણે મૃત્યુ થયું હતું.
પરંતુ શું તે ખરેખર શક્ય છે કે 11 વર્ષની ઉંમરે પહેલીવાર ઘોડા પર સવારી કરનાર અને ઘોડા પર બેસીને અસંખ્ય યુદ્ધો લડનાર સેનાપતિ દોડતા ઘોડા પરથી પડીને મૃત્યુ પામે?
સાચો ઇતિહાસ આ પ્રમાણે છે ..
જ્યારે કુતુબુદ્દીન ઐબકે રાજપુતાનાને લૂંટી લીધું ત્યારે તેણે મેવાડના રાજાને મારી નાખ્યો અને રાજકુમાર કરણ સિંહને પકડી લીધો. લૂંટાયેલી સંપત્તિ અને રાજકુમારની સાથે, તે રાજકુમારનો ઘોડો *"..શુભ્રક.."* પણ લાહોર લઈ ગયો.લાહોરમાં કરણસિંહે ભાગવાની કોશિશ કરી પરંતુ પકડાઈ ગયા , કુતુબુદ્દીન ઐબકે તેમનું માથું કાપવાનો આદેશ કર્યો અને કપાયેલા માથાને પણ અપમાનિત કરવા તે માથાનો દડાની જેમ ઉપયોગ કરી પગથી લાત મારી પોલો રમવાનો આદેશ આપ્યો .
માથું કાપવાવાળો કુતુબુદ્દીન જ્યારે શુભ્રક પર બેસી ત્યાં પહોંચ્યો ત્યારે પોતાના માલિકનું કપાયેલું મસ્તક જોઈ શુભ્રક બેકાબૂ થઈને કૂદવા લાગ્યો ને એ સમયે કુતુબુદ્દીન નીચે પડી ગયો ,ગુસ્સે થયેલા શુભ્રકે કુતુબુદ્દીનની છાતી પર અને માથા ઉપર પ્રહાર કર્યો ને એ એટલો તેજ હતો કે સૈનિકો કંઈ સમજે એ પહેલા તો કુતુબુદ્દીનના રામ રમી ગયા હતા .ત્યાં ઉપસ્થિત સૌ કોઈ આ દૃશ્ય જોઈ સ્તબ્ધ હતા, લોકોમાં દોડધામ થઇ ગઇ અને એનો લાભ લઈ રાજકુમાર ઘોડા પર બેસી ત્યાંથી ભાગવા લાગ્યા અને ત્યાંથી શુભ્રકે શરૂ કરી તેના જીવનની સૌથી મુશ્કેલ અને લાંબી દોડ, લગભગ સતત ત્રણ દિવસ સુધી સતત દોડ્યા છી તે મેવાડના દરવાજે પહોંચ્યો ત્યારે જ ઉભો રહ્યો, રાજકુમારે તેના પરથી ઉતરી આ વીર ઘોડાના મુખ પર પ્રેમથી હાથ ફેરવ્યો પણ ઘોડો તો મૂર્તિની માફક સ્થિર થઈ ગયો હતો , અડતાંની સાથે જ તે જમીન પર પટકાઈ ગયો આ જોઈ રાજકુમાર સ્તબ્ધ થઈ ગયો .
શુભ્રક તેના માલિકને સહી સલામત લઈને આવ્યો હતો અને મરતા પહેલા તેમને સુરક્ષિત તેમના રાજ્યના પહોંચાડી દીધા હતા , આપણે ચેતક વિશે જાણીએ છીએ પણ શુભ્રક તો વફાદારીથી પણ ચડિયાતો છે ,આપણી આધુનિક શિક્ષણ પ્રણાલીમાં આવા તથ્યો ક્યારેય અભ્યાસક્રમનો ભાગ બનતા નથી. આપણામાંથી મોટાભાગના લોકોએ આ નામ સાંભળ્યું પણ નથી. અને આ નામ ઇતિહાસમાં દફન થઈને રહી ગયું.
આપણો ઈતિહાસ આવા અનેક ઉદાહરણો થી ભરેલો છે જેને આજે વિશ્વ કદાચ સત્ય પણ ન માની શકે .આપના સંતાનોને પણ શુભ્રકની આ વાત ચોક્કસ જણાવજો એવી પ્રાર્થના !