ગુરુવાર, 18 એપ્રિલ, 2024

ઈતિહાસનો એક બુધ્ધિશાળી ઘોડો જેણે માલિકના મોતનો બદલો લીધો


 નમસ્કાર ,

ભારતીય ઈતિહાસ એવા ઉદાહરણોથી ભરેલો છે કે માનવીય સબંધો તો ઠીક પરંતુ માણસનો પ્રાણી સાથેનો સબંધ જોઈ કોઈની પણ આંખ પહોળી થઈ જાય , આપણે મહારાણા ને ચેતક તથા માત્રાવાળા અને સિંહ ની મૈત્રીની વાતથી તો વાકેફ જ છીએ પણ આજે ઇતિહાસના એ વીર અને તીવ્ર બુધ્ધિશાળી ઘોડાની વાત કરવી છે જેણે એના માલિકના મોતનો બદલો લીધો હતો , હા વાત છે શુભ્રક નામના આ ઘોડાની ....

દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશના પ્રથમ શાસક કુતુબુદ્દીન એબકનું દોડતા ઘોડા પરથી પડી જવાને કારણે મૃત્યુ થયું હતું.

 પરંતુ શું તે ખરેખર શક્ય છે કે 11 વર્ષની ઉંમરે પહેલીવાર ઘોડા પર સવારી કરનાર અને ઘોડા પર બેસીને અસંખ્ય યુદ્ધો લડનાર સેનાપતિ દોડતા ઘોડા પરથી પડીને મૃત્યુ પામે?

સાચો ઇતિહાસ આ પ્રમાણે છે ..

જ્યારે કુતુબુદ્દીન ઐબકે રાજપુતાનાને લૂંટી લીધું ત્યારે તેણે મેવાડના રાજાને મારી નાખ્યો અને રાજકુમાર કરણ સિંહને પકડી લીધો. લૂંટાયેલી સંપત્તિ અને રાજકુમારની સાથે, તે રાજકુમારનો ઘોડો *"..શુભ્રક.."* પણ લાહોર લઈ ગયો.લાહોરમાં કરણસિંહે ભાગવાની કોશિશ કરી પરંતુ પકડાઈ ગયા , કુતુબુદ્દીન  ઐબકે તેમનું માથું કાપવાનો આદેશ કર્યો અને કપાયેલા માથાને પણ અપમાનિત કરવા તે માથાનો દડાની જેમ ઉપયોગ કરી પગથી  લાત મારી પોલો રમવાનો આદેશ આપ્યો .

માથું કાપવાવાળો કુતુબુદ્દીન જ્યારે શુભ્રક પર બેસી ત્યાં પહોંચ્યો ત્યારે પોતાના માલિકનું કપાયેલું મસ્તક જોઈ શુભ્રક બેકાબૂ થઈને કૂદવા લાગ્યો ને એ સમયે કુતુબુદ્દીન નીચે પડી ગયો ,ગુસ્સે થયેલા શુભ્રકે કુતુબુદ્દીનની છાતી પર અને માથા ઉપર પ્રહાર કર્યો ને એ એટલો તેજ હતો કે સૈનિકો કંઈ સમજે એ પહેલા તો કુતુબુદ્દીનના રામ રમી ગયા હતા .ત્યાં ઉપસ્થિત સૌ કોઈ આ દૃશ્ય જોઈ સ્તબ્ધ હતા, લોકોમાં દોડધામ થઇ ગઇ અને એનો લાભ લઈ રાજકુમાર ઘોડા પર બેસી ત્યાંથી ભાગવા લાગ્યા અને ત્યાંથી શુભ્રકે  શરૂ કરી તેના જીવનની સૌથી મુશ્કેલ અને લાંબી દોડ, લગભગ સતત ત્રણ દિવસ સુધી સતત દોડ્યા છી તે મેવાડના દરવાજે પહોંચ્યો ત્યારે જ ઉભો રહ્યો, રાજકુમારે તેના પરથી ઉતરી આ વીર ઘોડાના મુખ પર પ્રેમથી હાથ ફેરવ્યો પણ ઘોડો તો મૂર્તિની માફક સ્થિર થઈ ગયો હતો , અડતાંની સાથે જ તે જમીન પર પટકાઈ ગયો આ જોઈ રાજકુમાર સ્તબ્ધ થઈ ગયો .

શુભ્રક તેના માલિકને સહી સલામત લઈને આવ્યો હતો અને મરતા પહેલા તેમને સુરક્ષિત તેમના રાજ્યના પહોંચાડી દીધા હતા , આપણે ચેતક વિશે જાણીએ છીએ પણ શુભ્રક તો વફાદારીથી પણ ચડિયાતો છે ,આપણી આધુનિક શિક્ષણ પ્રણાલીમાં આવા તથ્યો ક્યારેય અભ્યાસક્રમનો ભાગ બનતા નથી.  આપણામાંથી મોટાભાગના લોકોએ આ નામ સાંભળ્યું પણ નથી. અને આ નામ ઇતિહાસમાં દફન થઈને રહી ગયું. 

આપણો ઈતિહાસ આવા અનેક ઉદાહરણો થી ભરેલો છે જેને આજે વિશ્વ કદાચ સત્ય પણ ન માની શકે .આપના સંતાનોને પણ શુભ્રકની આ વાત ચોક્કસ જણાવજો એવી પ્રાર્થના ! 

 

મંગળવાર, 16 એપ્રિલ, 2024

પોતાના માણસો શોધવા

નમસ્કાર મિત્રો , 
 રાષ્ટ્રહિત સર્વોપરી
 ઘણા સમયથી લખવાનું બંધ હતું. આજે એક વિચાર આપ સૌને સમક્ષ મૂકી રહ્યો છું આશા છે કે મારા મિત્રો અને શુભેચ્છકો ને ગમશે. જીવનમાં આપણે ઘણી ભૂલો કરીએ છીએ પરંતુ જે ભૂલો માણસોને ઓળખવામાં કરીએ છીએ તેનું નુકસાન સૌથી વધારે હોય છે. મહાન નાટ્યકાર અને નવલકથાકાર સેક્સપીયરે આ બાબતનો બખૂબી ઉપયોગ તેની નવલકથાઓ અને નાટકોમાં કર્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિને સામ, દામ ,ભેદ કે દંડથી ખતમ કરી શકાતો નથી ત્યારે તેનો કોઈ અંગત વ્યક્તિ જ તેના સર્વનાશનું કારણ બને છે. જુલીયસ સીઝર નામના નાટકમાં જ્યારે મહાન દેશભક્ત અને લીડર સીઝરને તેના દુશ્મનો ખતમ કરી શકતા નથી ત્યારે તેનો એક અંગત મિત્ર આ કામ કરે છે , અને જ્યારે તેના દુશ્મનો તેના પર ખંજરનો વાર કરતા હોય છે તે દરમિયાન તેનો સૌથી નજીકનો મિત્ર પણ ખંજરનો વાર કરે છે ત્યારે સીઝર બોલે છે મિત્ર... બ્રૂટ્સ તું પણ ! તો પછી આના કરતા તો મૃત્યુ જ ભલું !! એના માટે મૃત્યુ ને ખંજરના ઘાત કરતા પણ ભયાવહ અને દુઃખદ મિત્રનો વિશ્વાસ પર કરેલો ઘાત હતો ..! આપણો ઇતિહાસ પણ આવા ગદ્દારોથી ભરેલો છે કે જ્યારે આપણા યોગ્ય રાજાઓએ અયોગ્ય વ્યક્તિઓ પર વિશ્વાસ મૂક્યો અને તેનું પરિણામ સમગ્ર રાજ્યનું વિનાશ અને પતન આવ્યું. દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે આપણામાંથી આપણાને શોધવા . માણસની આખી જિંદગી નીકળી જાય છે તેમ છતાં તે પોતાના માણસોને ઓળખી શકતો નથી , અને પોતાનું અહિત ઈચ્છતા સાપોને આખા જીવન દૂધ પીવડાવી પોષતો રહે છે, અને જ્યાં સુધી સત્ય સમજાય ત્યાં સુધી વાર્તા પૂર્ણ થઈ ગઈ હોય છે તો યક્ષ પ્રશ્ન એ છે કે પોતાના માણસોને ઓળખવા કેવી રીતે ??? તેનો જે જવાબ મને મળ્યો છે એ એ છે કે વ્યક્તિના વાણી , વર્તન અને કર્મની સમાનતા છે કે નહીં તેની પુષ્ટિ પરથી ! આશા રાખું કે આ વિચાર આપને ગમ્યો હશે અને જીવનમાં ક્યાંક ઉપયોગી થઈ પડશે.

રવિવાર, 19 એપ્રિલ, 2020


राष्ट्रहित सर्वोपरि
નમસ્કાર મિત્રો,
જે સમજતું હોય છે મોટે ભાગે તેના પક્ષે  જ સહન કરવાનું આવતું હોય છે.  જે લેટ ગો ની ભાવના રાખતું હોય છે એ તેની ઓળખાણ બની જાય છે, જો તે લેટ ગો ના કરે તો અનપેક્ષિત વર્તનની વ્યાખ્યામાં આવી જાય છે અને બિચારો આ લેટ ગોના ચક્કરમાં પોતે જ ગો થઇ જાય છે ! હા ,આ એક વાસ્તવિક વાત છે જો તમે તમને થતા અન્યાય અને અત્યાચારની બાબતમાં ચુપ રહી યુદ્ધ ટાળવાનું વિચારો છે તો બહારનું યુધ્ધ તો ટળી જાય છે પરંતુ જાત સાથેનું યુદ્ધ શરુ થાય છે . જે તમને ચેનથી જીવવા નહિ દે. તમે તમારી જાતને સમજાવવાનો પ્રયાસ કરશો પણ અંતરમનને આત્માને નહિ સમજાવી શકો કારણકે તે  સત્ય જાણતી હોય છે. કહેવાય છે કે –
મનને સમજાવો નહિ ,
મન બધું સમજતું હોય છે.
જો સમજવાથી થી જ કે લેટ ગોની  વૃત્તિ રાખવાથી સમસ્યાઓ હલ થઇ જતી હોત તો વાંસળી પકડવાવાળાએ ક્યારેય સુદર્શન ના પકડ્યું હોત. દુનિયામાં ક્યારેય યુદ્ધ ના થયા હોત. પરંતુ કમનસીબી એ છે કે યુદ્ધ હંમેશા શાંતિ માટે જ થાય છે ! જયારે કોઈની સજ્જનતાને .શાંતિપ્રિયતાતાને, કે અહિંસાને તેની નબળાઈમાં ખપાઈ કોઈ શેતાન મેલી મુરાદની કામના કરે છે ત્યારથી જ સજ્જનની દુર્દશા ચાલુ થાય છે.
મિત્રો તમે જ વિચારો કે તમે દુનિયાના સૌથી આદર્શ વ્યક્તિ છો . વસુધૈવ કુટુમ્બકમની ભાવના ધરાવો છો . અહિંસાવાદી છો. સૌમ્ય પ્રકૃતિના છો . તમારો એક સુંદર પરિવાર છે . અને અચાનક એક દિવસ તમારા ઘરમાં અસામાજિક તત્વો આવી જાય તો ! જે તમારી સામે તમારા જ ઘરમાં તમારી બહેન દીકરીઓની સાથે અસભ્ય વર્તન કરે. તમારા ઘરના વડીલનું અપમાન કરે . તમારી સાથે અભદ્ર વર્તન કરે તો ! શું તમે ઉપર મુજબના ગુણધર્મોમાં વર્તન કરશો ? શું તમે ગુંડાતત્વોને ઘરમાં છોડી પોલીસ ફરિયાદ કરશો અને સંવિધાનિક પ્રતિકાર કરશો ? શું તમે તેમને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરશો ? કે પછી વિનંતી કે આજીજી કરશો ? કે પછી તેમને ઘરમાંથી બહાર તગેડી મૂકી એક એવો પાઠ ભણાવશો કે એ ક્યારેય તમારા ઘર સામે આંખ ઉઠાવીને જોઈ ના શકે ? વિચારજો.......
મિત્રો હિંદુ ધર્મમાં ઉધઈ લગાડવામાં આવી છે . ઝેર પીરસવામાં આવ્યું છે . ઇતિહાસનું જુઠાણું ચલાવવામાં આવ્યું છે. કાયર બનાવવાનું એક મહા ષડયંત્ર કરવામાં આવ્યું છે . અને વર્તમાન સમયમાં આ બધું જ એક સિસ્ટમથી થઇ રહ્યું છે. આપણી આજુબાજુ ચાલતી દરેક પ્રવુત્તિને ધ્યાનથી જોશો તો સમજાઈ જશે. પણ અફસોસ આપણે ઘણા સમયથી એક ભાઇચારાના કેફી દ્રવ્યનું સેવન કરીએ છીએ. ભાઈચારો અવશ્ય હોવો જોઈએ પણ કોની સાથે ?? ભાઈ જેવું વર્તન કરે તેની સાથે ? શું તમારા ઘરે આવેલા ગુંડાઓ સાથે ભાઈચારો બતાવી શકશો ?
આપણા સમાજને ગુમરાહ કરીને નવી યુવા પેઢીને અયોગ્ય રસ્તે વાળવાનું કાવતરું વર્ષોથી ચાલે છે અને સફળ પણ રહ્યું છે. સિનેમાઘરોમાં આવતી ફિલ્મો , તેના ડાયલોગ ,તેની થીમ તેના હીરો અને હિરોઈન ખુબ વિચારીને પસંદ કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક રીતે તમારું બ્રેઈન વોશ  કરવામાં આવે છે . મીડિયા એ જ બતાવે છે જેમાં ટી.આર.પી વધતી હોય . સાચા બનાવો ને સાચી માહિતી ખુબ સિફતથી છુપાવવામાં આવે છે. એક નિયત એજન્ડાથી જ બધું ચાલે છે. સરકારો પણ એ જ બાળકને પહેલા દૂધ આપે છે જે દૂધ માટે જીદ કરતું હોય કે રડતું હોય ..!! આજે આપણે એ સ્ટેજ પર પહોંચી ગયા છીએ કે દરેક વસ્તુની સાબિતીઓ આપવી પડે.  વાણી સ્વાતંત્ર્ય એમના માટે જ છે જે એક પક્ષીય હોય . આપણને સત્ય બોલવાનો પણ અધિકાર નથી.
આ બધું થતું આવ્યું છે , થાય છે અને થતું પણ રહેશે ...જ્યાં સુધી આપણે જાગૃત નહિ થઇએ ...આપણો સમાજ ક્યારેય ખોટાનો સાથ આપતો નથી . કનિકા કપૂરનો સૌથી વધુ વિરોધ આપણે જ કર્યો . તેના માટે આપણે ખુલીને વાત અને વિરોધ પણ કરીએ છીએ. આંજે સેલીબ્રીટીઝના ભાઇચારાના વિડીયો સામે આવી રહ્યા છે પણ આ રીએક્શન છે મિત્રો કારણકે અમુક લોકોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પોતાના જીવના ભોગે કોઈ ફળ કે શાકભાજી ખાવા તૈયાર નથી . એટલે હવે સત્ય સ્વીકાર્યું છે. અને તેમને સપોર્ટ કરવા વિડીયો બનાવવા પડ્યા છે. જાવેદ જાફરી જેવા લોકો કે જે કહે છે કે દરેક થુંક લગાડવાવાળો  કોરોના ગ્રસ્ત નથી. માટે થુંકવાળું શાકભાજી ને ફળ પણ લઇ લેવું જોઈએ . વાહ ભાઈ વાહ ! આપણા માટેની તેની માનસિકતા અહી છતી થાય છે. હું માનું છુ કે બધા જ લોકો ખરાબ નથી . પરંતુ તમારામાંથી (તમારા સમાજમાંથી) કોઈ ખરાબ છે તો તમારે જાતે સામે આવી એમને ખુલ્લા પાડવા પડશે , જેમ કાનીકાનો વિરોધ આપણા જ  સમાજે કર્યો તેમ તમારે પણ તમારામાંના આવા દેશદ્રોહી અને માનસિક વિકલાંગ તત્વોનો વિરોધ કરી બહાર લાવવા પડશે. ભાઈચારો કેળવવાનું આ પ્રથમ પગથીયું છે. જો સ્વીકારો તો !
આ ખાઈને પુરાવા માટે બંને પક્ષે આગળ આવવું પડશે . કડવું સત્ય સાંભળવાની હિંમત કેળવવી પડશે. ખોટા ષડ્યંત્ર બંદ કરવા પડશે . દેશ વિરોધી તાકાતોને બેનકાબ કરવી પડશે. નફફટ થઇ બીજાને ગાંડા સમજી આતંકીઓના પક્ષે ઉભા રહેવાનું ને બોલવાનું બંદ કરવું પડશે .
એક વાત સત્ય છે ...ભારત તેરે ટુકડે હોંગે ઇન્શા અલ્લાહ ઇન્શા અલ્લાહ એ શક્ય નહિ બને.
હિન્દુત્વ કી કબર ખુદેગી જે.એન.યુ કિ ધરતી પે એ પણ શક્ય નહિ બને.
જયારે સમગ્ર ભારત નવરાત્રી મનાવતું હોય ત્યારે જે.એન.યુ માં મહીશાશુરનો શહીદ દિવસ ઉજવાય છે.

ખિલાફત ૨.૦ ના પોસ્ટર લગાડાય છે. ભારતીય સંસ્કૃતિના ચિહ્નો મીટાવવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદજીની મૂર્તિને વિકૃત કરવામાં આવે છે.
હિંદુ દેવી-દેવતાઓની બીભત્સ વાતો થાય છે.
કાશ્મીરને સ્વતંત્ર કરવું છે.
અને બીજું એવું એટલું બધું કે આપો ખોઈ બેસાય .....બસ વાત એટલી જ કે કાં તો સુધારો..અથવા તો ખુલ્લા પાડો..અથવા તો મૌન રહી સપોર્ટ કરવાનું બંદ કરો ...ભારતીય બનવા માટે ભારતના થવું જરૂરી છે.
ભારતને વિશ્વફલક પર લઇ જવું હશે તો આ બધામાંથી બહાર આવવું જ પડશે . કારણ કે વિશ્વની કેટલીયે શક્તિઓ આપણા દેશને મજબુત થતો જોવા નથી માગતી . આપણા દેશને બરબાદ કરવા કેટલીય શક્તિઓ કાર્યરત છે. સદીયોથી હિંદુ ધર્મનો નાશ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે . આ દેશ ૮૦૦ વર્ષ મુગલો અને ૨૫૦ વરસ અંગ્રેજોનો ગુલામ રહ્યો . તેમણે આપણું ધર્મ પરિવર્તન કરાવવા અત્યાચાર કરવામાં કોઈ જ કસર નથી રાખી.  વિચારો આપણા બાપ દાદાઓ એ કેટલું વેઠયું હશે માત્ર ધર્મ બચાવવા ...!  અને છતા આજે હિંદુધર્મ સનાતન છે. અને રહેશે. ભારતના વિધર્મીયો એ ભૂતકાળના ડરી ગયેલા હિંદુઓ છે . હિંદુ વિશ્વનો માત્ર એવો ધર્મ છે જે ધર્માંતરણના પ્રયત્નો નથી કરતો.
આપણા આજુબાજુના પછાત વિસ્તારોમાં ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવુત્તિઓ અત્યંત ગુપ્ત રીતે જોરશોરમાં ચાલે છે. જેમાં આપણા અશિક્ષિત અને અભણ ભાઈયો ફસાતા જાય છે. આપણા ઉપર બધી બાજુથી હુમલા ચાલુ છે. આપણા દલિત ભાઈયોને આપણાથી દુર કરવાના પ્રયત્નો પણ થઇ રહ્યા છે . આ મેલી મુરાદો સફળ ના થાય એ માટે આપણે સૌએ જાગૃત થવું પડશે . અને આપણે એક જ પ્રભુનું સંતાન છીએ એ શાશ્વત સત્ય સ્વીકારવું પડશે.  
(વધુ આવતા અંકે ....)
વંદે ભારત માતરમાં
જાય હિન્દ


ગુરુવાર, 16 એપ્રિલ, 2020



નમસ્કાર મિત્રો,
 उसूलो पे आंच आये तो टकराना ज़रूरी हे ,
अगर जिन्दा हो तो फिर जिन्दा नज़र आना जरुरी है |
શાસ્ત્રોમાં કહ્યું છે કે દુર્જનથી દુર રહેવું. મર્દ જોડે મૈયતમાં જવું પણ ***** જોડે લગ્નમાં પણ ના જવું. આ દુર્જન એટલે એ  કે જેમનું  ઈમાન કે સિધ્ધાંત જેવું કઈ હોતું નથી . જેમનું લોહી તેના ગુણધર્મો ખોઈ બેઠું છે. જેના ડી.એન.એ ભ્રષ્ટ થઇ ચુક્યા છે. જે સત્તામાં રહેવા કોઈ પણ ભોગે ગમે તેને સાથ આપવા માટે તત્પર છે. જેના માટે દેશ એ વેપાર અને રાજનીતિનું માત્ર એક સાધન છે. જેના માટે સ્વાર્થ એ જ પરમાર્થ છે. જે લોકોના વિશ્વાસ સાથે ઠગાઈ કરે છે. આવા લોકો કોઈના સગા નથી . આ લોકો આજના કહેવાતા બુદ્ધિજીવીઓ છે. જેમનું એકમાત્ર કામ દેશની દુશ્મન તાકાતોને બળ પૂરું પાડવાનું છે. આવા લોકો અને તેમની પ્રજાતિઓ સદીયોથી આ દેશનું લોહી પી રહી છે. અને આ દેશ આવા સર્પોને દૂધ પીવડાવ્યા જ કરે છે. અહી એક વૃક્ષની વાત યાદ આવે છે ......
એક વૃક્ષ કુહાડીના ઘાથી કપાઈ રહ્યું હતું . તેના મુખ પર એક અલગ જ દુઃખનો  ભાવ હતો . તેને કોઈકે પૂછ્યું શા માટે આટલું દુખી દેખાય છે ? વૃક્ષે હદયમાં ઉઠેલી કરુણ પીડાથી ભાવહીન ચહેરા સાથે જવાબ આપ્યો , મને કુહાડીથી કોઈ દુખ નથી એ તો પારકી છે . પણ દુખ તેના બનેલા હાથાથી છે જે મારા જ અંગમાંથી બનેલો છે . પોતાનો જ હાથો જયારે વૃક્ષના નાશ માટે સામે આવ્યો ત્યારે એ પીડા એ સહન ના કરી શક્યું .
શું આ પરિસ્થિતિ આપણા દેશમાં નથી બની રહી ? શું થઇ રહ્યું છે ? શા માટે થઇ રહ્યું છે ? મિત્રો ભારતનો ઈતિહાસ અને હિન્દુઓનો ડી.એન.એ તપાસી લેજો . તે હજારો વર્ષો સુધી સહન કરશે પરંતુ તે સહનશક્તિ તેમની નબળાઈ નથી . બોક્સિંગમાં અને રેસલિંગમાં એક નિયમ છે જે ફાઈટર વધારે માર સહન કરી શકે અંતે એ જ જીતી શકે છે. રાજા રામને રાવણે ગંભીરતાથી ના લીધા અને પરિણામ આવ્યું સર્વનાશ. દેશના ઉપદ્રવી તત્વોએ હજી સમજી લેવાની જરૂર છે .દેશ ધીમે ધીમે તેની મર્યાદા તોડી રહ્યો છે. હવે પાણી ગળા સુધી આવી ગયું છે. જેમ ફ્રાન્સમાં ક્રાંતિ થવાની હતી તે પહેલા જે અજીબોગરીબ શાંતિ હતી તેવી જ શાંતિ અહી છવાયેલી છે. જરૂર છે એક ભયંકર અહિંસક યુદ્ધની. એક એવું યુદ્ધ જે દેશના ગદ્દારોને અંદરથી હચમચાવી મુકે.    
સાંપ્રત સમયમાં ભરત દેશ ઘણી વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહ્યો છે. એકબાજુ કોરોના તો બીજી બાજુ દુશ્મન દેશ પાકિસ્તાન સરહદ ઉપર પોતાની વિકૃત માનસિકતા છતી કરે છે. તો એક દ્રશ્ય દેશમાં એવું પણ છે જે બધા જાણે છે પણ કોઈ બોલવા તૈયાર નથી. દેશનો આ વર્ગ કોઈના કહ્યામાં નથી. દ્રશ્યો જોઈ ગુસ્સો અને શરમ આવે છે. લૂલો બચાવ કરતા લોકો શરમ મૂકી તર્કહીન દલીલો આપ્યા કરે છે . અને જનમાનસ પોતાના મનમાં દરેકનું માપ કાઢી રહ્યું છે. આપણા નેતાઓએ કરેલી ભૂલ આજે સમસ્ત ભારત ભોગવી રહ્યું છે. ભગવાનનો પાડ માનો કે સરદાર પટેલ જેવા સપુત દેશને મળ્યા , નહીતર આજે ભારતમાં બીજા ઘણા દેશો બની ચુક્યા હોત. આભાર તો દેશના વીર ક્ષત્રીય રાજાઓનો પણ જેમણે પોતાની જાગીરો હસતા મોં એ દેશના ચરણોમાં અર્પણ કરી. એ જ તો ખાનદાની ને સંસ્કારો છે . આજે કોઈ એક સોય જેટલી જમીન પણ છોડવા તૈયાર થશે ?
        મિત્રો આ કપરો સમય તો ચોક્કસ જતો રહેશે ,પણ આ સમય આપણને ઘણું શીખવાડી ને જશે. આપણા દેશે તો આનાથી પણ વિકટ સમસ્યાઓ જોયેલી છે . કહેવાતા દેશભક્તોના વિકૃત ચહેરા અને ગદ્દારી સહન કરી છે. માં ભારતીની છાતીમાં ખંજર ભોકાયેલું છે. તેનું કરુણ રુદન આઝાદી પછી નેતાઓના ભોગ વિલાસમાં ક્યાંક દબાઈ ગયું હતું. દેશના વીર યુવાન સૈનિકો કે જેમની ઉમર હજી ૨૩ કે ૨૪ જ વર્ષ છે . જેનો મૂછનો દોરો હમણાં જ ફૂટ્યો છે એમની લાશો પર માતા ભારતી ક્યાં સુધી રુદન કરશે ? દર વર્ષે આવા ઘણાં ભગતસિંહો દેશ માટે શહીદ થાય છે. આ બધું જ યાદ છે આ દેશને કઈ ભૂલ્યો નથી આ દેશ . લાગે છે કે ખુબ જલ્દી હિસાબ થશે હવે .
દેશના ફલક પર તમામ કીડાઓ ઉભરીને બહાર આવી રહ્યા છે. ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. કોણે મદદ કરી ? કઈ સંસ્થાઓ આગળ આવી ? કોણ કેટલું મદદરૂપ થયું તેની નોધ લેવાઈ ગઈ છે . દેશના દીકરાઓએ તેમની જવાબદારી બખૂબી નિભાવી છે, અને દેશના દુશ્મનો એ પણ !!! મિત્રો એકજ વિનંતી છે કે આ દિવસોને ક્યારેય ભૂલતા નહી. ભૂતકાળમાં જે ભૂલો કરી છે તેનું પુનરાવર્તન ના થવા દેતા . નહીતર માં ભરતી તમને ક્યારેય માફ નહિ કરે.
એટલું ચોક્કસ યાદ રાખજોજો કે –
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी
 (ક્રમશઃ)
(લેખન : માર્મિક વોરા)


          
       



        राष्ट्रहित सर्वोपरि
(ભાગ-૨)
ગત લેખમાં આપણે જોયું કે મેકોલે એ એક ષડયંત્રના ભાગરૂપે Indian Education Act બનાવ્યો હતો. મેકોલે એ શિક્ષણનું નવું પ્રારૂપ તૈયાર કર્યું. તેના શબ્દો હતા –
“આપણે હિન્દુસ્તાનીઓનો એક એવો વર્ગ તૈયાર કરવાનો છે જે આપણી વચ્ચે દુભાષિયાનું કામ કરે. જે આપણી ગુલામીને ગૌરવ સમજે. આ વર્ગ માત્ર રંગ, રૂપ, દેખાવ અને રક્તથી  ભલે ભારતીય હોય પણ તેમની અભિરુચિ,નૈતિકતા,સમર્પણ ,અને બુદ્ધિમત્તા અંગ્રેજની હોય.અને આજે આપણને આ મેકોલેની અસંખ્ય ઓલાદો મળી રહેશે જેની માતૃભાષા અંગ્રેજી હોય અને ધર્મપિતા મેકોલે હોય.  આ વ્યવસ્થા મેકોલે એ ખુબ સાવધાની થી લાગુ કરી. હવે અંગ્રેજી જાણનારા કહેવાતા બૌદ્ધિક ગુલામોની સંખ્યા વધવા લાગી અને જે અંગ્રેજી ન્હોતા જાણતા તેઓ હીન ભાવનાથી પીડાઈને સરકારી નોકરોના ઠાઠ જોતા હતા. જેને અંગ્રેજીની આવી ગુલામી સ્વીકારી તેને જ સરકારી નોકરીઓ મળતી. સમયાંતરે આવા ગુલામો ચાપલુસી કરતા કરતા ઉન્નત થવા લાગ્યા અને અંગ્રેજી ના જાણનારા લોકોને આપણા જ દેશમાં બીજા દરજ્જાના નાગરીકો સમજાવા લાગ્યા. પણ સૌથી મોટી વિડમ્બના એ બની કે આઝાદી મળતા સુધીમાં આવા ભણેલા ગુલામો સ્વતંત્રતાનો  સંઘર્ષ  પણ કરવા લાગ્યા હતા. અને અહિયાં પણ મેકોલેની શિક્ષણ નીતિ સફળ રહી કારણકે જયારે અંગ્રેજોને લાગ્યું કે સુભાષ.ભગતસિંહ,રાજગુરુ,સાવરકર,ચંદ્રશેખર અને આવા અગણિત હિંસક ભારતીયોના ભારતમાં રહેવું હવે અસંભવ છે ત્યારે અંગ્રેજો મેકોલેના અનુયાયીઓને સત્તા સોપી બ્રિટેન ચાલ્યા ગયા. અંગ્રેજોતો ગયા પણ તેમની વિકૃત થઇ ગયેલી નસ્લ અહી મુકતા ગયા જેની ગુલામી હવે પછીની પેઢીયોને કરવાની હતી. અને આ કામ કરવાવાળા દેખાવે ભારતીય અને બૌદ્ધિક અને વૈચારિકરૂપથી અંગ્રેજ હતા અને બન્યા  દેશના રખવાળા( નામ નહિ લઉં કારણકે એડવિનાની આત્મા દુખી થશે.) . અને સમય જતા આપણા આ મહાનુભાવો આ જ પદ્ધતિને વિકસિત કરતા રહ્યા. અને આ પ્રક્રિયામાં આપણી ભારતીય ભાષાઓ લુપ્ત થતી ગઈ અને હિન્દુસ્તાનમાં હિન્દી ભાષાના વિરોધનો સુર ઉઠવા લાગ્યો. બ્રિટેનની બૌદ્ધિક ગુલામી માટે આપણો સમાજ આંદોલનો કરવા લાગ્યો.
ત્યારબાદ આવ્યો મિશનરી સ્કુલોનો દોર . કારણકે આપણે ૨૦૦ વર્ષોથી ગુલામી કરી હતી તો ભારતીય સભ્યતા, સંસ્કૃતિને ગૌણ માનવા લાગ્યા અને અંગ્રેજીનો અર્થ સભ્ય અને ઉન્નત થવું એવો થવા લાગ્યો. હવે આપણી પેઢીઓ મેકોલેની વ્યવસ્થામાં તૈયાર થઇ રહી હતી. અને ભારતીય શાળાઓને સાંપ્રદાયિક માનવામાં આવતી હતી કેમ કે ત્યાં વંદેમાતરમ અને દેશપ્રેમ શીખવાડવામાં આવતો હતો. આજે પણ ભારતની શિક્ષણ વ્યવસ્થા બહારના દેશોની કંપનીઓ નક્કી કરે છે અને એવી રીતે કે  કોઈ ભારતીય સ્વતંત્ર બુદ્ધિ ધરાવતો ના થવો જોઈએ . માલિક નહિ પણ નોકરો જ પેદા થવા જોઈએ. આજે પણ શિક્ષણ સંસ્થાઓ સારા નોકર પેદા કરે  છે નહિ કે સારા માલિક !! સારા માલિકો યુરોપના જ હોવા જોઈએ !!
 એક ઉદાહરણ સ્વરૂપે આજે આપણા મહાવિદ્યાલયોમાંથી નીકળેલો વ્યક્તિ રેડિયો,ટીવી કે મોબાઈલ સરખો જ કરી શકશે , બનાવી નહિ શકે . અને જો કોઈ મહાવિદ્યાલય નિયમોના બહાર જઈ પોતાની શિક્ષણપ્રથાથી તેજસ્વી યુવાનો તૈયાર કરે છે તો ઇંગ્લેન્ડ કે નાસા જેવી સંથાઓ તેને બોલાવી લે છે. અને આપણે પણ એનો રાજીપો વ્યક્ત કરીએ છીએ. મેકોલે એ આપણી શિક્ષણપ્રથા અને વિચારસરણીને અપંગ બનાવી દીધી છે. મેકોલેની યોજના પહેલા સમસ્ત ભારતનો બે અંગ્રેજ અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એક હતો G.W.LINTAR અને બીજો THOMAS MUNRO .બંનેએ અલગ વિસ્તારનો સર્વે કર્યો અને ૧૮૨૩માં પોતાનું વિવરણ આપ્યું . લીંટર કે જેને ઉત્તરનો  સર્વે કર્યો હતો જણાવે છે કે અહિયાં ૯૮% સાક્ષરતા છે અને મુનરો જણાવે છે દક્ષિણમાં ૧૦૦%  સાક્ષરતા છે.
મેકોલેનું સ્પષ્ટપણે માનવું હતું કે જો ભારતને ગુલામ બનાવવું હોય તો તેની સંસ્કૃતિ અને  શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે નષ્ટ કરાવી પડશે અને તેને સ્થાને અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થા લાવવી પડશે તો જ આ દેશમાં શરીરથી હિન્દુસ્તાની પણ મગજથી અંગ્રેજ પેદા થશે. જે માત્ર અંગ્રેજોના હિતમાં જ કામ કરશે.
        સૌથી પહેલું કામ તેને ગુરુકુળો ખત્મ કરવાનું કર્યું . ૧૮૫૦ સુધી ભારતમાં ૭ લાખ ૩૨ હજાર ગુરુકુળો હતા અને ૭  લાખ ૫૦ હજાર ગામડાંહતા મતલબ કે લગભગ ગામેગામ ગુરુકુળો હતા. જે આજના સમય મુજબ HIGHER LEARNING INSTITUTE હતા.આ ગુરુકુળોમાં ૧૮ વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ મુંબઈ.મદ્રાસ અને કોલકતામાં કોન્વેન્ટ શાળાઓ ખોલવામાં આવી જે પછીથી યુનીવર્સીટી પણ બની.
        પરિણામ સ્વરૂપ આજે આપણે આપણી માતૃભાષા બોલતા શરમ આવે છે. આપણે હીનતાનો ભાર લઈને ફર્યા કરીએ છીએ . લોકો તર્ક આપે છે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે પણ દિનિયાના મુખ્ય ૨૦૪ દેશોમાંથી માત્ર ૧૧ દેશોમાં જ અંગ્રેજી બોલાય છે. તો આ આંતરરાષ્ટ્રીય ભાષા કેવી રીતે ?? અંગ્રેજી એક દરિદ્ર ભાષા છે જેને મોટા ભાગના શબ્દો બીજી ભાષામાંથી લીધેલા છે .અરે અંગ્રેજોની બાઈબલ પણ અંગ્રેજી ભાષામાં નથી , તેની ભાષા અરમેક છે . અને અરમેક ભાષાની લીપી આપણી બંગાળી ભાષાને મળતી આવે છે જે સમયના કાળચક્રમાં આજે લુપ્ત થઇ ચુકી છે ! આજના સમયમાં MY HINDI OR GUJARATI IS LITTLE BIT WEAK ! બોલવું એ એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે!! જેવું મેકોલે ઈચ્છતો હતો તેમ આપણે આપણી સંસ્કૃતિને હીન માનવા લાગ્યા છીએ.
        આજનો ભણીને સમાજમાં આવેલો યુવાન ના ઘરનો કે ના ઘાટનો છે કારણ કે એ અંગ્રેજી સંપૂર્ણ સમજી શકતો નથી અને માતૃભાષાના ઉપયોગમાં પોતાની બેઈજ્જતી સમજે છે . મિત્રો આપણા દેશમાં વિવેકાનંદ અને ક્રાંતિકારીઓ પેદા કરવા હશે તો મેકોલેની વ્યવસ્થામાં જઈને તે વ્યવસ્થા તોડીને  આપણી બરબાદ થતી પેઢીયોને બચાવવી પડશે . ઉચ્ચ આદર્શો સ્થાપિત કરવા પડશે.  કીચડ સાફ કરવા માટે હાથતો ગંદા કરવા પડશે . રામ અને કૃષ્ણના આદર્શો સ્થાપિત કરી આપણા બાળકોને કાર્ટુનની માયાજાળમાંથી છોડાવવા પડશે. આપણા માટે અત્યારે સૌથી મોટી ચુનોતી છે ભારતનું ચારિત્રિક પતન ..અને તે પાછુ લાવવું એ આપણા સૌની પ્રાથમિકતા હોવી જોઈએ.
આપણે ચિંતન કરવાની જરૂર છે , આવનારું ભવિષ્ય તમારી સામે આંખો ખોલીને જોઈ રહ્યું છે . તેની સાથે આંખ મિલાવીને વાત કરવી કે નજર જુકાવીને એ તમારે નક્કી કરવાનું છે ...........
ठोकर खाकर भी न संभले तो मुसाफिर का नसीब
वर्ना पथ्थरोने तो अपना फर्ज अदा कर दिया |
वन्दे भारत मातरम !
(लेखन : मार्मिक वोरा )

બુધવાર, 15 એપ્રિલ, 2020

કોરોના અને ભારત ....
પ્રાચીન ભારતથી આધુનિક ભારતની સફર 
વંદે ભારત માતરમ !
આજના આ લેખમાં શબ્દોરૂપી પુષ્પોથી સ્વાગત છે.
શા માટે વસુધૈવ કુટુમ્બકમનો આદર્શ આપનારી ભારતીય સંસ્કૃતી પોતાના જ દેશમાં પોતાની ઓળખાણ શોધી રહી છે ? શા માટે રામાયણ કે મહાભારત ફરી શરુ થવાથી વિરોધનો આટલો ભયાનક સુર ઉઠી રહ્યો છે ? બંધારણની કલમ ૩૦  મુજબ દરેક ધર્મના લોકો પોતાની ધર્મની શિક્ષા આપી શકે છે . પરંતુ કલમ ૩૦ અ મુજબ  માત્ર હિંદુધર્મ ના લોકોને આ અધિકાર નથી . હિંદુઓ પોતાના ધર્મનું શિક્ષણ ના આપી શકે આવી અન્યાયપૂર્ણ કલમો શા માટે બંધારણમાં જોડવામાં આવી ? હિન્દુઓને ધર્મની શિક્ષા કે ધર્મગ્રંથોના અધ્યયન કે શિક્ષણથી વંચિત રાખવાનું આટલું મોટું ષડયંત્ર શા માટે ? શા માટે રામસેતુ ને તોડી પાડવા સુધીના હુકમો આપવા પડ્યા ? શા માટે આપણા મર્યાદા પુરુષોત્તમ રામ કે જે આપણા આરાધ્ય દેવ છે . અને તમામ હિંદુઓ જેમના પુનઃ આગમન સ્વરૂપે દિવાળી ઉજવે છે , એ રામ તો માત્ર એક કાલ્પનિક પાત્ર છે એવું એફિડેવિટ કરવામાં આવે છે ? આની પાછળનો આશય કે મેલી મુરાદ શું છે ? શા માટે હંમેશા બહુસંખ્યક લોકો જોડે કે જે સરકારની સાથે હંમેશા ખભે ખભા મિલાવીને ઉભા હોય તેમને સાબિતીઓ આપવી પડે છે ? શા માટે આપણા વડાપ્રધાનથી એક મોટો બુદ્ધિજીવી વર્ગ એટલી હદે નફરત કરે છે કે એમના મોતની દુવાઓ માંગે છે ? શા માટે કોઈ પણ સારા કાર્યની અંદર કમીઓ કે ખરાબીઓ જ શોધવામાં આવે છે ? શા માટે બહુસંખ્યકોની ઉદારતાને તેમની નબળાઈ ગણવામાં આવે છે ?શા માટે વીર સાવરકર જેવા પ્રખર દેશ ભક્તને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા ? શા માટે એવું ફરમાન છોડવામાં આવ્યું કે સાવરકરના સેલ્યુલર જેલમાં આવેલી કોટડીના તમામ લખાણો દુર કરી એ કોટડી પર ચૂનો લગાડવાના આદેશો આપવામાં આવ્યા ? શા માટે સાવરકરથી યુવા પેઢી પરિચિત ના થાય તેવા શક્ય તમામ મરણીયા પ્રયાસો કરવામાં આવ્યા ? પ્રશ્નો હજી ઘણા છે . તેની વિગતે ચર્ચા ચોક્કસ કરીશું. પણ આજે સાંપ્રત સમયમાં આપણી સંસ્કૃતિના સૂર્યોદયને નિહાળી રહ્યો છુ તેની વાત કરવી છે.

મધ્યયુગમાં સંપૂર્ણ યુરોપ ઉપર રાજ કરવાવાળું રોમ (ઇટલી) આજે વિનાશના કગારે આવીને ઉભું છે .
મધ્ય  પૂર્વમાં જેની આણ વર્તાતી હતી તે ઈરાન આજે ઘુટણીયે બેઠું છે . 
જેના સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય અસ્ત નહતો થતો એ બ્રિટીશ સામ્રાજ્યના ઉત્તરાધિકારી બર્કીન્ગ્ધમ મહેલમાં કેદ છે.  
જે પોતાને આધુનિક યુગની સર્વોચ્ચ શક્તિ મનાતું હતું તે રશિયા આજે સીમાઓ બંધ કરીને બેઠું છે.
જેના ઈશારા માત્રથી દુનિયાના નકશાઓ બદલાઈ જતા હતા અને જે પોતાને દુનિયાના મુખી ગણતું હતું તે અમેરિકા આજે સંપૂર્ણ લોક ડાઉન છે.
ચીન પોતાનું મો છુપાઈને ફરે છે અને બધાની ગાળો ખાય છે.
એક નાના પરજીવીએ (કોરોના વાઈરસ) સમસ્ત વિશ્વને ઘુટણીએ લાવી દીધું. ના તો પરમાણુંશાસ્ત્રો કામે લાગે છે , ના તો તેલના કુવાઓ, મનુષ્યજાતિનો બધો જ વિકાસ પણ આ વિષાણુનો સામનો નથી કરી શકતો.શું થયું ? નીકળી ગઈ ડંફાસ ? બસ આટલા વર્ષોમાં આપણે આ જ કરી શક્યા કે એક નાના વાઇરસે આપણને ઘરોમાં કેદ કરી દીધા છે. 
વિશ્વના બધા જ દેશો આજે આપણા ભારત દેશ  સામે આશા સાથે આંખ માંડીને બેઠા છે , એ ભારત તરફ કે જેનું સદીયો સુધી અપમાન કર્યું .લૂટતા રહ્યા.એક મામુલી વાઇરસે તમામ દેશોને તેની હેસિયત બતાવી દીધી.ભારત જાણે છે કે યુદ્ધતો હજી શરુ થયું છે.જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધશે તેમ તેમ ગ્લેશિયરથી બરફ  પીગળશે અને આઝાદ થશે લાખો વર્ષોથી બરફની ચાદરોમાં કેદ થયેલા રાક્ષસી વિષાણુંઓ . જેનો ના તો તમને કોઈ પરિચય છે કે ના તમારી લડવાની કોઈ તૈયારી.
  આ કોરોના તો માત્ર ઝાંખી છે. ચેતવણી તો હજુ પણ છે , આવવાવાળી સમસ્યાનો જેને આપણે જન્મ આપ્યો છે.શું તમે જાણો છો આ બધાની સામે લડાઈનો સામનો કરવાના શાસ્ત્રો ક્યાં છુપાયેલા છે ???????????
તક્ષશીલાના ખંડેરોમાં , નાલંદાની રાખમાં ,શારદા પીઠના અવશેષોમાં , માર્તંડ મંદિરના પથ્થરોમાં...........
આવા વાઈરસ સદીયોથી માનવજાતિ સાથે યુદ્ધ કરતા આવ્યા છે.આ કઈ નવું નથી.પૃથ્વીના આરંભથી લઇ અવિરત ચાલ્યા કર્યું છે અને આજે પણ છે. આની સાથેના લડવાના હથિયારો આપણે શોધી પણ નાખ્યા હતા.
પરંતુ વિધર્મીઓના અહંકાર .લાલચ અને પોતે તથા પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે તેવી કટ્ટર હઠને લીધે બધું જ રાખમાં ફેરવી દીધું.શું જોઇતું  હતું તમારે સોનું , હીરા, જવેરાત, રત્નો ...અરે માગી લેતા આ ભારત દેશમાં રાજા બલિ અને મહારથી કર્ણના વંશજો તમને ઉદાર હાથે અ પણ આપી દેતા. એમ પણ સંસારિક બંધનો અને વૈભવનો ત્યાગ કરી આંતરિક શાંતિની શોધ કરવાવાળા સમાજ માટે આ બધું મૂલ્યહીન જ હતું.
લઇ જાત ......પણ તમે શું કર્યું !!!વિશ્વ બંધુત્વની વાત કરવાવાળા હિંદુ સમાજને નષ્ટ કરીનાખ્યો.જે ક્રૂર લુટારાનું મન થયું તે ભારત પર ચડી આવ્યો. અને જીવમાં શિવ જોવાવાળા સમાજનો સર્વનાશ કરી નાખ્યો.
કોઈ વિશ્વ વિજેતા બનવા માટે તક્ષશીલા ને તોડીને જતું રહ્યું . તો કોઈકે સોનાની ચમકમાં સોમનાથ મંદિરને લુંટ્યું.કોઈક ધુતારા ખીલજીએ પોતાને મહાન બતાવવા નાલંદાના મહાન પુસ્તકાલયના અમૂલ્ય ગ્રંથો સળગાવી દીધા.તો કોઈકે અત્યંત બર્બરતાથી શારદા પીઠનો નાશ કર્યો.કોઈકે પોતાના ઝંડાને ઉચ્ચ બતાવવા માટે વિશ્વા કલ્યાણનું કેન્દ્ર બનેલી ગુરુકુળ પરંપરાને જ નષ્ટ કરી નાખી.
અને આજે કરુણ આંખોથી જોઈ રહ્યા છે એ જ હારેલા,અપમાનિત થયેલા ,નિમ્ન ગણાવાયેલા ભારતની તરફ....જેને હમણા હમણા જ પોતાના ઘાવો ને સાજા કર્યાં છે. જે હજી તો કરવટલઈને બેઠું થવા જઈ રહ્યું છે.આપણે તો પણ તેમને નિરાશ નહિ કરીએ . આજે પણ આ દેશ સમસ્ત જગતને છાયડો આપવા તૈયાર છે. શ્રી રામના વંશજો આ દનાવોથી લડશે.
પરંતુ................
પરંતુ....................
પરંતુ........................
રસ્તો ક્યાંથી નીકળશે ??
એ જ નષ્ટ કરેલા હવન કુંડોમાંથી  જેને તમે તમારી લાતોથી તોડ્યા હતા.તમારે એ જ લીમડા અને પીપળાના છાંયડામાં આવવું પડશે.જેના માટે તમે અમારો ઉપહાસ કરી અમને હાંસીપાત્ર અને મુર્ખ સમજ્યા હતા.તમારે એ જ ગાયનો મહિમા  સ્વીકારવો પડશે જેને તમે તમારા સ્વાદનું કારણ બનાવીને બેઠા છો.એ મંદિરોમાં જઈને શંખનાદ કરવો પડશે જેમને તમે ક્યારેક તોડ્યા હતા.એ જ વેદોને વાંચવા પડશે જેનો તમે અટ્ટહાસ કરી અગ્નિદાહ કરાવ્યો હતો.એ જ ચંદન અને તુલસી માથે ચઢાવવા પડશે જેના માટે તમે અમારા માથા ધડથી અલગ કરી નાખ્યા હતા. કત્લેઆમ મચાવી હતી.
આ પ્રકૃત્તીનો ન્યાય છે . જે દરેકે સ્વીકારવો જ પડશે ...
આભાર...
ફરી મળીશું નવા અંકમાં ..
હર હર મહાદેવ ....જાય શ્રી રામ...જય હાટકેશ !! 
લેખન : માર્મિક વોરા

राष्ट्रहित सर्वोपरि
નમસ્કાર મિત્રો,
ભારત અને ભારત ભૂમિ આવી નહોતી જેવી આજે આપણે જોઈ રહ્યા છીએ. આપણે બિનસાંપ્રદાયિકતા અને
અહિંસાની ખુબ મોટી કિમતો ચૂકવી રહ્યા છીએ. અહી એ વાત કહેવાનો જરા પણ ઉદેશ એ નથી કે આપણે હિંસક કે સાંપ્રદાયિક બની જવું જોઈએ. એ તો આપણે એમ પણ નહીં બની શકીએ કારણ કે એ આપણા ડી.એન.એ માં જ નથી. મહાભારતમાં ભગવાનશ્રી યોગેશ્વર કહે છે કે – “હણનાર ને હણવામાં કોઈ જ પાપ નથી.” શઠમ પ્રતિ શાઠયમ” અર્થાત દુર્જન જોડે દુર્જન જેવો જ વહેવાર કરવો જોઈએ.
આજે જ્યારે આપણા દેશમાં માનવતાના લીરે લીરા ઉડી રહ્યા છે. માનવહકો માત્ર આતંકીઓ, બળાત્કારીઓ,અને નીચ લોકો માટે જ છે. ધૂર્ત લોકો અટ્ટહાસ કરી રહ્યા છે. આતંકવાદીઓના મનોબળ ચરમસીમા પર છે . અડધી રાત્રે કોર્ટના દરવાજા આતંકીઓ માટે ખુલે છે. અફઝલ અને કસાબ જેવા પિશાચો માટે પ્રેમવર્ષા થાય છે . ત્યારે ખરેખર સમસમીને બેસી  જવાય છે. લાગી આવે છે. આંખો ભીની થઇ જાય છે . પિશાચી પ્રવુત્તિ વાળા લોકોના બચાવમાં જયારે આપણા નેતાઓને જોઈએ ત્યારે માતા ભારતીની કરુણતા પર દયા આવે છે.દેશમાં નૈતિકતા,મુલ્યો,સદાચાર,નીડરતા,અને મહાનતા માત્ર પુસ્તકો અને ભાષણો પૂરતા સીમિત થઇ ગયા છે. આ સ્થિતિમાં મારા જેવા કરોડો ભારતીયો હશે જે રાત્રે સુઈ નહિ શકતા હોય, જેનું અંતઃ કરણ બળ્યા કરતુ હશે.
આજની વાત એ એક ષડયંત્રની વાત છે.
એ વર્ષ હતુ 2005નું  કે જ્યારે રામસેતુ તોડી પાડવાની સંપૂર્ણ તૈયારીઓ થઇ ચુકી હતી.કેન્દ્રની સરકારે સમુદ્રમ યોજનાનું એલાન કર્યું.એ મુજબ રામસેતુની અમુક જગ્યાને ઊંડી કરી ત્યાંથી જહાજો પસાર થઇ શકે તેવી વ્યવસ્થા કરવાની હતી.તેના માટે સેતુને તોડવો જરૂરી હતો.જેના માટે જે તે સમયની સરકારે અતિ વિશેષ વ્યક્તિઓની બનેલી એક ટીમની રચના કરી.જેને સેતુસમુદ્રમની આખી યોજના બનાવી હતી.જેનો પ્રસ્તાવ કરુણાનિધિ સાહેબે મુક્યો.જેમની પાસે  તે સમયે મંત્રાલય હતું.આ પરિયોજનાને આર્થિક લાભ માટે અતિ મહત્વની બતાવવામાં આવી.
પરંતુ સદનસીબે પર્યાવરણ સમિતિના સભ્યોએ જણાવ્યું કે રામસેતુના તુટવાથી કેરળમાં જે ભયંકર તબાહી આવશે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.હજારો માછીમારો બેરોજગાર બની જશે . અને આ ક્ષેત્રમાં મળતા દુર્લભ શંખ અને દરિયાઈ ઔષધિઓથી પણ હાથ ધોવા પડશે.જેનાથી લગભગ ૧૫૦ કરોડ રૂપિયાની આવક થતી હતી.એ ઉપરાંત દુર્લભ ગણાતી સામુદ્રિક પ્રજાતિઓ પણ નાશ પામશે. ભારત પાસે યુરેનીમની જગ્યાએ તેનો બીજો વિકલ્પ થોરિયમ છે જે સમસ્ત વિશ્વમાં આ સ્થળે સૌથી વધારે છે, જો આ સેતુ તોડી પાડવામાં આવે તો તેનાથી પણ હાથ ધોવા પડે તેમ છે.
તેમ છતા સમિતિની કોઈ જ વાત માન્ય રાખવામાં ના  આવી. કારણકે તત્કાલીન સરકાર સેતુ તોડવા અત્યંત વ્યાકુળ હતી.   કરુણાનિધિ તેમાં મોખરે હતા , સેતુ નહિ તૂટે એ વાત માત્ર તેમના માટે અસહ્ય હતી.જોકે માહિતી તો એવી પણ હતી કે બાબરી મસ્જીદનો બદલો લેવા માટે જ આ સેતુનો વિનાશ કરવાનો હતો.
પરંતુ ભાજપ અને અન્ય હિંદુ સંગઠનો એ તેનો અત્યંત વિરોધ કર્યો હતો ,પરંતુ બિનસાંપ્રદાયિક લોકોના કાન હમેશની જેમ બહેરા હતા. બધું જ નક્કી થઇ ગયું હતું.કરોડો રૂપિયાની મશીનરી આવી ગઈ હતી.બને એટલી ઝડપે આ સેતુ તોડવાનું કામ પૂર્ણ કરવાની કડક સૂચનાઓ અપાઈ ચુકી હતી. આમ પણ સરકારો સારી રીતે જાણે છે કે કયા કામ શાંતિથી કરવા અને કયા કામો ઝડપથી ....અને આ તો વાત રામને લગતી હતી એટલે ઉતાવળ તો  વ્યાજબી જ હતી.
ત્યારે અશોક સિંઘલે મળી ડો.સુબ્રમણ્યમ સ્વામીને મળ્યા અને બંને એ મળીને છેલ્લી ઘડીએ  સુપ્રીમકોર્ટમાં યાચિકા દાખલ કરી કે રામસેતુ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિક છે તે ના તુટવો જોઈએ.
માનનીય જજ સાહેબે જાતે સંજ્ઞાન લેતા પૂછ્યું : “શું તમે દરરોજ પૂજા કરવા રામસેતુ ઉપર જાઓ છો ?”તો જવાબમાં ડો.સ્વામીએ કહ્યું : “હું સુર્યની પણ રોજ પૂજા કરું છુ પણ સૂર્ય ઉપર જતો નથી.” તર્કહીન થયેલા જજસાહેબ કઈ જ ન બોલી શક્યા અને ધાર્મિક આધાર પર સ્ટે લગાવવો પડ્યો  અને સ્તબ્ધ બનેલી સરકારને વૈકલ્પિક રસ્તો શોધવાની સલાહ આપી.
હદતો ત્યારે થઇ ગઈ જયારે યુપીએ સરકાર સેક્યુલરતાનું મુખોટુ ફેકી અસલી રંગમાં આવી ગઈ.તેમને રામસેતુને તોડવો કેમ યોગ્ય છે એમ કહી જણાવ્યું કે ભગવાન રામના અસ્તિત્વના કોઈ જ નક્કર પુરાવા નથી. અને ઉમેર્યું કે રામાયણ તો માત્ર એક કાલ્પનિક કથા છે  એથી વિશેષ કઈ નથી.. સરકારના આ પગલાં પછી ઘણો વિરોધ થયો જેના પછી બિનસાંપ્રદાયિક સરકારે કેસ પાછો ખેચી લીધો.
સરકાર ૩૦ જુન ૨૦૧૨ સુધીમાં આ યોજના માટે ૮૨૯ કરોડ ૩૨ લાખ રૂપિયાની નજીવી રકમ ખર્ચ કરી ચુકી હતી. અને યેનકેન પ્રકારે રામસેતુને તોડવાનો પ્રયાસ કરી રહી હતી.પણ ડોક્ટર સુબ્રમણ્યમ આગળ કોઈની એક ના ચાલી.............!!!!!
કારણ કે ડોક્ટર સુબ્રમણ્યમ એક જાગૃત નાગરિક અને હિંદુ છે .. અને શું આપણે ?????
આ વાત મહત્વની નથી કે રામસેતુનું શું થયું અને કેમ થયું ?? વાત એ મહત્વની છે કે આ વાંચ્યા પછી આપ શું વિચારો છો ? ! ! આપણે આપણા બાળકોને કેવું ભારત આપવા માગીએ છીએ. આજે આપણા જ બાપ દાદાએ આપેલા સંસ્કારો આપણા આંગણામાં દમ તોડી રહ્યા છે ને દુનિયા અપનાઈ રહી છે. માથે અને મોઢે કપડું બાંધીને જ આપણા વડવાઓ ફરતા હતા ..પરંતુ આપણને શરમ આવવા લાગી ? દરેકના ઘર આગળ એક ડોલ મુકવામાં આવતી જેથી બહારથી આવી સ્વચ્છ થઈને જ ઘરમાં પ્રવેશ મળે . પરંતુ આપણે ધીમેધીમે બધું જ ભૂલતા ગયા કે પછી મોર્ડન બનવા માટે છોડતા ગયા. પણ મિત્રો આપણા વડવાઓ વૈજ્ઞાનિક હતા એ દરેક રીવાજ પરથી સિદ્ધ થાય છે.  એ બધા રીવાજો પાછળના કારણો હવે પછીના લેખમાં આપીશું.
એક કહેવત છે કે “સર સલામત તો પઘડી કિ ક્યા બિસાત !!” – હવે તમારે નક્કી કરવાનું છે કે માથું સાચવવું છે કે પછી પાઘડી ? સમય વિચારવાનો છે . માત્ર આજીવિકા મેળવી ઘર ચલાવવું એ જ જીવન નથી. દેશ અને સમાજ છે તો જ આપણે છીએ.
ફરી મળીશું .......
વંદે ભારત માતરમ !
હર હર મહાદેવ......
(લેખક : માર્મિક વોરા )